Tuesday 19 November 2013

નાના - મોટા સહુ ને સતાવતો પગ ની પીંડી નો દુખાવો 

નાના છોકરા થી માંડી ને મોટી વય ની મહિલાઓ કે પુરુષો ને બધાને પગ ની પીંડી માં દુખાવો થતો હોય છે , કેટલાક ને એક તો કેટલાક ને બંને પગ માં થતો હોય છે , પરંતુ આ પાછળ નું સૌથી મોટું સંભવિત કારણ છે - કબજિયાત .
લાંબા સમય થી કબજિયાત રહેતી હોય , જેમની બ્લડ સુગર ઓછી રહેતી રહેતી હોય ( ખાસ કરીને diet ના નામે 1 ચમચી પણ ખાંડ ના ખાતા હોય ) આડેધડ ઉપવાસ અને એકાસણા કરતા હોય અને જેમનું બ્લડ પ્રેશર પણ ઓછુ રહેતું હોય તેમને પગ ની પીંડી ઓ ખાસ દુખતી હોય છે . આ ઉપરાંત , વિટામીન B -1, B -5 અને પોટેશિયમ ની કમી ને કરને પણ પગ દુખી શકે છે .અન્ય મેડીકલ કંડીશન માં વધુ પડતી કસરત કરવાથી , એક ની એક સ્થિતિ માં પગ રાખવાથી , રક્તવાહીની માં કોઈ પ્રકાર નો અવરોધ આવવાથી કે પછી હાડકા માં કોઈ પ્રકાર નું ઇન્ફેકશન થવાથી દુખાવો થતો હોય છે . ઘણી વખત ડાયાબીટીક પેશન્ટ માં દવા નો ડોઝ વધુ હોય તો hypoglycemia થવાથી પણ calf muscle દુખે છે . 
આ પ્રકાર ની તકલીફ માં તલ ના તેલ થી માલીશ કરી શકાય જેનાથી થોડી રાહત મળે છે તથા એક્સેસ માત્રા માં dieting ના કરવું જોઈએ .
        
             પોટેશિયમ શરીર માટે એક ખુબ જ જરૂરી ઘટક છે, તે શરીર માં electricity નું વહન કરે છે , મજ્જા તંતુ ઓ મારફતે એક અવયવ થી મગજ સુધી સંદેશાઓ લઇ જવામાં તેનો બહુજ મોટો ફાળો છે અને આ ખનીજ તત્વ સ્નાયુ ના સંકોચન અને વિસ્તરણ માં અગત્ય ની ભૂમિકા ભજવે છે અને પોટેશિયમ શરીર ના હાડકા ના માળખા ને મજબુત રાખવાનું કાર્ય કરે છે , તે કેળા , દ્રાક્ષ ,ફણસી , કોબીજ , બટાકા  orange juice , મકાઈ માંથી મળી રહે છે .
          વિટામીન B 1 ને થાયમીન તરીકે પણ ઓળખવામાં આવે છે , આપના ખોરાક માં લેવાતા carbohydrates નું energy માં રૂપાંતર કરે છે મજ્જા તંતુઓને પણ અને  સ્નાયુ ને પણ મજબુત   બનાવે છે , દારૂનું વ્યસન ધરાવનારા લોકો માં થાયમીન deficiency થાય છે . છડ્યા વિનાના ચોખા , ઘઉં , કાજુ , બદામ , ખજુર માંથી વિટામીન B 1 પૂરતા પ્રમાણ માં મળી રહે છે .
આયુર્વેદિક ઉપચાર :
અગ્નિ તુંડી વટી -   આ ઔષધ માં મુખ્ય ઘટક ઝેર કોચલા ( nux vomica ) છે , આ ઔષધ આયું નિષ્ણાત ની સલાહ હેઠળ લઇ શકાય , ઝેર કોચલા શીથીલ થયેલા જ્ઞાન તંતુ ઓ માં ચૈતન્ય લાવે છે , તેની કાર્ય ક્ષમતા વધારે છે , શાસ્ત્રો માં તેને પાદ્વ્યથા હર તરીકે પણ દર્શાવેલું છે . આ ઉપરાંત , આ દવામાં અજમો , હરડે , બહેડા ,આમલા ,સુંઠ , મરી , પીપર , જીરું, વાવડીંગ ,સિંધાલુણ , સંચળ , યાવક્ષાર ,પરદ અને ગંધક જેવા herbs પણ છે . જેને કારણે આમ નું પાચન થાય છે અને ભૂખ સરખી લાગે છે , સ્ફૂર્તિ લાગે છે અને પગ ની પિંડીમાં જે કળતર થાય છે તે પણ મટે છે .
                               આયુર્વેદ એ પૌરાણિક science છે, તે કોઈ ચમત્કાર નથી , પણ હા જો તેમાં જણાવેલા સૂચનો નું પાલન કરવામાં આવે તો એ ચમત્કાર થી સહેજ પણ ઓછુ નથી .
 consultation માટે inbox કરવું અને reply માટે રાહ જુવો તો સારું એવા તમામ વાચક મિત્રો ને વિનંતી !
વડીલો ની સલાહ હમેશા આવકાર્ય છે , અને youngsters ના suggestionsથી પ્રેરણા મળશે  .

8 comments:

  1. revo uninstaller pro crack Thanks for the post. Very interesting post. This is my first-time visit here. I found so many interesting stuff in your blog. Keep posting..

    ReplyDelete
  2. Such a nice and helpful piece of information. I’m so happy that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing. cockos-reaper-crack

    ReplyDelete
  3. Here's the softwares that you can use free. You guys just visit our site and get all the latest and older softwares Magic Photo Recovery Crack Kindly click on here and visit our website and read more.
    Magic Photo Recovery Crack
    Free Netflix Crack Free Download
    aSc timetables Free Download

    ReplyDelete
  4. This article is so innovative and well constructed I got lot of information from this post. Keep writing related to the topics on your site. Roguekiller Crack

    ReplyDelete
  5. Such great and nice information about software. This site gonna help me a lot in finding and using much software. Kindly make this like of content and update us. Thanks for sharing us iSkysoft Data Recovery Crack Kindly click on here and visit our website and read more

    ReplyDelete
  6. This is the software based company where you can find and demand different softwares such as express vpn crack Kindly click on here and visit our website and read more

    ReplyDelete